Rajput ⚔

Anic_an_engineer
0

ચન્દ્રકાંત બક્ષીની કલમે *"રાજપુત"*
~~~~~~~~~~~~~~~~~

*રાજપુતોનાં કિલ્લાઓ પરથી રાત્રે આગની લપટો અને ધુમાડા દેખાતા ત્યારે ઘેરો નાખીને પડેલી મુગલ સેનાઓમાં નાસભાગ થઈ જતી - કારણ કે સૂર્યોદયની સાથે અફિણ પીને આખાય શરીર પર હળદર ચોળીને, કેસરી કપડાં પહેરીને લાલઘૂમ આંખો વાળા ખુંખાર રાજપુતો કિલ્લાના દરવાજા ખોલીને "હર હર મહાદેવ"ની ગર્જના સાથે મુગલ છાવણીઓ પર ત્રાટકતા... એમની બહેન બેટીઓ પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જૌહર કરીને બળી મરતી, અને કેસરિયા કરવાં નિકળેલો રાજપુત ફરીથી ઘર પ્રવેશ કરે એવો કોઈ નિયમ હતો નહીં.. માઇલો સુધી મુગલ સૈનિકો જીવ લઇને ભાગતા કારણ કે એમને જીવવું હતું અને રાજપુતોને મરવું હતું.*

*"રાજપુતોનાં આ ભયંકર વીરત્વને કારણે રાજસ્થાને 80 વર્ષોમાં અડધાં વિશ્વ પર ફેલાઈ ગયેલી ઇસ્લામિક સત્તાને પાંચસો વર્ષ સુધી ભારતની ધરતી પર આવતાં રોકી રાખી"*

     પાઘડી વાળા ભલે પાઘડી જીવ્યા આઘડિ અમર નામ મરજીવા  પાઘડી વાળા જયહો

રાજપૂતો ધ્વારા આ દેશ ને જે આપવામાં આવેલ છે તે
કોઈ સમાજ નહીં આપી શકે.

બાકી તો સ્વાભિમાન અને ઇતિહાસ માટે તો રાજપુત લડતો હતો અને લડતો રહેશે.

જય માતાજી.
⏩એટલું યાદ રાખજો ભલે આવા શૂરવીરો ભગવાન નથી,
પણ આજ આપણાં મંદીરો અને એમાં ભઞવાન એના લીધે જ છે   હો.!
: ----ચન્દ્રકાંત બક્ષી
         Jai rajputana

Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default