04 أبريل 2017

તમે આળસુ છો ? તમારા મિત્રો તે માટે દોષિત છે .

તમને લાગે છે કે તમે આળસુ  અને ઉતાવળો સ્વભાવ ધરાવો છો .તમે જે રીતે સમય પસાર કરો છો  તેમાં ફેરફાર કરવા ઈચ્છો છો ?
સંશોધનો કહે છે કે લોકો તેમની આસપાસના લોકોના સ્ફૂર્તિ, ઉત્સાહ, આળસ, ધીરજ વિનાના ઉતાવળા સ્વભાવ વગેરેનું અનુકરણ કરતા હોય છે.
સંશોધકો એમ કહે છે કે વ્યક્તિ ના જે વલણો પ્રકૃતિદત્ત દેખાતા હોય છે તે હકીકતે આસપાસ ના લોકો નું અનુકરણ નું પરિણામ હોય છે .


ફ્રેંચ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ મેડીકલ રીસેર્ચના  સંશોધકોએ માનવસાશાસ્ત્ર અને મેથેમેટિકલ
મોડલીંગ મદદથી વ્યક્તિના વલણમાં થતા ફેરફારનાં અભ્યાસ કરવા પ્રયાસ કર્યો હતો ૫૬ જેટલા લોકો પર આ હેતુસરના પ્રયોગ કરવામો આવ્યા હતા.ભાગ લેનારા લોકોને સંશોધકો દ્વારા નક્કી કરેલા વલણ મુજબ અન્ય લોકો દ્વારા લેવામો આવેલા નિર્ણયોને  જોયા પછી જીવનમો જોખમો વિલંબ કે પ્રયાસને સોક્ળતા પોતાના આગવા નિર્ણય લેવા ક્હેવામોઆવ્યું હતું, સંશોધકોના ધ્યાનમો આવ્યું હતું કે લોકો સભાનપણે પોતાના નિર્ણયો બીજા જેવા સમાન જ હોય તેનું ધ્યાન રાખતા હોય છે. આભાસી સર્વાંનુમતીની પૂર્વગ્રંથી  થી પ્રેરાઈને લોકો નિર્ણય લેતા હતા . અર્થાત પોતાનો નિર્ણય બીજાઓથી અલગ ના પડી જાય  તેની તકેદારી રાખતા હતા,લોકો સામાજિક  પ્રભાવ અને અનુસરણ ની પૂર્વ ગ્રંથી થી પીડાતા હતા . સર્વાનુમતિ ની પૂર્વ ગ્રંથી વ્યક્તિ ને પ્રભાવિત કરતી જ હોય છે . સર્વેક્ષણ માં જે લોકો ભાગ લઇ રહ્યા હતા તે પૈકીનાં  ને લોકો ને લાગતું હતું  કે તેમના ઉત્તરો કે વલણો બીજા જેવા નથી .તેમને તો બીજા ઓનું  સીધે સીધું અનુકરણ શરુ કરી દીધું હતું , પરંતુ જે લોકો ને એવું લાગતું હતું કે બીજાના વલણ તેમના જેવા જ છે તેઓ અનુકરણ કર્યા વિના જ આગળ વધી રહયા હતા . સંસોધકો એ તેમની  પ્રતિક્રિયાને આધારે મેથેમેટીકલ  મોડલ બનાવીને તારણો કાઢવા પ્રયાસ કર્યો હતો ,.     

Anic_an_engineer

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 التعليقات:

إرسال تعليق

 
biz.