17 مارس 2019

The royal hindu -Rajput family in Pakistan

2૦૦ વર્ષની ગુલામી કર્યાં બાદ જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં પરંતુ એક અલગ રાષ્ટ્ર નુ નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાન, ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં રાષ્ટ્રની ખુશીમાં ઝુમી રહ્યાં હતા. પરંતુ એ સમયે લાખો હિન્દુ – મુસ્લિમો એ રાતોરાત પોતપોતાનુ સ્થાન બદલવુ પડયુ. બે રાષ્ટ્રો વચ્ચે સરહદ સીમા નક્કી થઈ ચુકી હતી. પરંતુ એક એવુ હિન્દુ રાજપૂત પરિવાર જેમણે પોતાનો ગઢ છોડીને જવાનું વિચાર્યું પણ નહીં.

પરંતુ આ પરિવારે પાકિસ્તાનમાં જ રહીને પોતાનુ કટ્ટર હિન્દુત્વ નિભાવ્યુ અને હાલમાં પણ તેના વંશજો નિભાવી રહ્યાં છે. એક રાજપૂત ક્ષત્રિય વ્યક્તિ માટે પોતાના લોકોની રક્ષા એજ સૌપ્રથમ કર્તવ્ય બની રહે છે.

આવો જ એક પરિવાર છે સોઢા પરિવાર. ૧૫૪૦ મા જ્યારે શેરશાહ શુરી સાથેના યુદ્ધમાં હુમાયુ હાર્યો ત્યારે તે નિરાધાર હતો, ઉપરાંત તેમની બેગમ ગર્ભવતી હતી. એવા સમયે આ પ્રભાવશાળી પરિવાર તેનો આશરો બન્યો હતો. અને એજ કિલ્લામાં ભારતના મહાન સામ્રાજ્ય નુ સપનું સાકાર કરનાર અકબરનો જન્મ થયો. જે વિસ્તાર છે પાકિસ્તાન સિંધનો અમરકોટ. જે હવે ઉમરકોટ તરીકે જાણીતો છે.
હવે મુળ વાત છે (PPP) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના સભ્ય અને સંસ્થાપક તરીકે ફરજ બજાવી ચુકેલા ‘રાણા ચંદ્રસિંહ સોઢા ના વિર પુત્ર “હમિરસિંહ સોઢા”. જે ઉમરકોટના રાજવી તરીકે ૨૬માં વારસદાર છે. ઉમરકોટ જે પાકિસ્તાનમા જ ઉછરેલી એકમાત્ર હિન્દુ રિયાસત છે. જે ત્યા પાકિસ્તાનમા જ રહીને પોતાના હિન્દુત્વ ના પરચા પુરે છે. હમિરસિંહ સોઢા ની જન્મભૂમિ પણ પાકિસ્તાન જ છે. કેમકે સોઢા પરિવારનો ઈતિહાસ ૮૦૦ વર્ષ જેટલો પુરાણો છે. પાકિસ્તાન ના અસ્તિત્વ પહેલાં જ ત્યા હિન્દુ રાજપૂતો નુ રાજ હતુ.

પાકિસ્તાન કે જ્યાં હિન્દુઓ ને દબાવીને રાખવામાં આવે છે. એજ જમીન પર આ હિન્દુ રાણા હમિરસિંહ પાકિસ્તાન મા શાહી ઠાઠમાઠ થી પોતાનુ રાજ ચલાવે છે. રાણા એક જ એવા નિડર નેતા છે જે પાકિસ્તાનમા પણ ખુલ્લા સિંહ જેમ ફરે છે. અને હિન્દુ રીત રિવાજ નુ સંપૂર્ણ પાલન કરે છે. એક રાજપૂત તરીકેની તેમની પ્રતિભા એવી છે કે હાલમાં પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ રાણાના ઉમરકોટ જીલ્લા મા એમની પરવાનગી વગર પગ પણ મુકી શકતા નથી.

ભારતમાં રહેનારા મુસ્લિમો ના હક્ક માટેની લડાઈ નો ઢોંગ કરનારા પાકિસ્તાની ઔવેસી ની માફક બોલવા ખાતર નહીં પરંતુ પોતાના હિન્દુ લોકો માટે કરીને પણ બતાવે છે. જ્યાં આપણા ભારતના રાજકીય નેતાઓ દેશમાં રહીને પણ કશું કરી શકતા નથી ત્યા એકમાત્ર સિંહ નુ કાળજું ધરાવતા હમિરજી પાકિસ્તાન મા જ દુશ્મનોની વચ્ચે રહીને સરકાર ને હંફાવે છે.
એક રાજપૂત તરીકે હમિરસિંહજી મા પણ પ્રખર વિરતા ની છટાં જોવા મળે છે. તેમણે પાકિસ્તાન ના નેતાઓ, વડાપ્રધાન નવાઝ શરીફ ને ખુલ્લેઆમ લલકાર્યા હતાં. જો હિન્દુઓ સાથે લડવાની તમારી ક્ષમતા હોય તો આવે રણ મેદાનમાં, અને તમારુ કાયરતા પણુ છોડો. જો આવી રીતે હિન્દુઓ પર તમારે પીઠ પાછળ વાર કરવાના હોય તો અમે પણ તે કરી શકીએ છીએ. સાથોસાથ ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમે માન-ઈજ્જત આપશો તો હુ ખાતરી આપુ છુ કે અમારા તરફથી પણ તમને એવો જ પ્રતિભાવ મળશે. અન્યથા લડવા માટે પણ અમે તૈયાર જ છીએ.

પાકિસ્તાન મા રહીને કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર હમિરજી જ્યારે પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ ને મળે છે ત્યારે તેઓ હંમેશા “જય શ્રીરામ” બોલીને જ વાત ની શરુઆત કરે છે. રાણાજી બોલવા કરતા કરી બતાવવામાં વધુ માને છે. તેમણે એકવાર પાકિસ્તાન ની જમીન પર ખુલ્લેઆમ ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પરંતુ કોઈપણ મા તેમને લલકારવાની હિંમત ન હતી.
હમિરસિંહજી પાકિસ્તાન મા પણ સ્પષ્ટ બહુમતી થી ચુંટાઈ આવે છે. તેઓ પાકિસ્તાન ના ભુતકાળમાં કૃષિમંત્રી રહી ચુક્યા છે. તેમના પિતાશ્રી ચંદ્રસિંહ સોઢા સતત ૭ વખત પાકિસ્તાન મા સાંસદ બની ચુક્યા હતા. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મા પણ મહત્ત્વનુ યોગદાન આપ્યું હતું. ભુટ્ટો સાથે પણ તેમના સંબંધ સારા રહ્યા હતા. છતાંય તેમણે ઈસ. ૧૯૯૦ મા PPP છોડીને પાકિસ્તાન હિન્દુ પાર્ટી (PHP) ની સ્થાપના કરી હતી. પાકિસ્તાન મા વસતા ભારતીય લોકો ના હક્ક માટે જાતે જ નવી પાર્ટી ની રચના કરી હતી.

૨૦૦૯ મા શ્રી ચંદ્રસિંહ સોઢા ના અવસાન બાદ ૫૩ વર્ષીય વિર હમિરજી એ PHP નુ સુકાન સંભાળ્યું. તેઓ ૩ વખત ઉમરકોટ ના સાંસદ બની ચુક્યા છે. જ્યારે નિઝામ સત્તા પર હતા. પાકિસ્તાન મા વસતા દરેક હિન્દુ સમાજનો તેમના માટે સંપૂર્ણ ટેકો હોય છે. તેમની નિડરતા થી જીંદગી અને દુશ્મનો સાથે બાથ ભીડવાની શક્તિથી ત્યાના સ્થાનિક મુસ્લિમો પણ તેનાથી પ્રભાવિત થયા છે. એ પણ આ ભારતમાતા ના સપુત ને સલામ ભરે છે.

જ્યાં પાકિસ્તાની સરકાર કે મુસ્લિમો દ્વારા ભારતીય હિન્દુઓ ને હેરાન કે ખદેડવામા આવે છે, ત્યાં તે પોતાના થી બનતું બધું જ કરી છુટે છે. આવા નિડર અને પ્રતિભાશાળી વ્યક્તિ જે દુશ્મન ના ઘરમાં જ ઘુસીને તેને હરાવતા હોય ત્યારે આપણા નેતાઓ ને બસ માત્ર મોટી મોટી વાતુ કરવામાં જ રસ હોય છે. તેમા જ સમય પસાર કરી છે. જ્યારે સિંહ પોતાના જંગલમાં હોય કે પારકા મા, પરંતુ સિંહ પોતાનો મિજાજ ગુમાવતો નથી. અને કર્તવ્ય ને ચુક્તો નથી. પાકિસ્તાન મા જ્યા હમિરજી ની રીયાસત આવેલી છે, તેવા વિસ્તારમાં હિન્દુઓ ની વસ્તી વધારે હોવા છતાંય લાઉડસ્પિકર મુકવાની મનાઈ છે, ત્યાં હમિરજી પાકિસ્તાન મા પોતાની રથયાત્રા લઈને નીકળે છે. કોઈ એ રાજપુત ને રોકવાની હિંમત કરતું નથી. મુકાબલો કરવાનુ તો બહુ દુર રહ્યું.

પાકિસ્તાન મા રહીને પણ આ કટ્ટર હિન્દુ રાજપૂતો એ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હમિરસિંહજી ૨૬ મા શાસક છે, તેમના બાદ ઉમરકોટની જાગીર ના શાસક અને વારસ તરીકે તેમના પુત્ર કર્નીસિંહ સોઢા પણ તેમના જ માર્ગ પર ચાલશે. કેમકે ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ હમિરજી એ પુત્રના લગ્ન રાજસ્થાન ના જયપુરમાં રાઠોડ પરિવાર ની દિકરી સાથે કર્યા છે. જ્યારે હમિરસિંહ ના પત્ની પણ ભારતીય નાગરીક્તવ ધરાવતા હતા. માટે જ હમિરસિંહજી નો ભારતીય રાજપૂતો અને હિન્દુઓ પ્રત્યે સીધો સંબંધ રહ્યો છે.

દરેક હિન્દુસ્તાનીઓ નુ હમિરસિંહ સોઢા ની શોર્યગાથા સાંભળીને માથું ગર્વથી ઉચું થવું જોઈએ. જ્યારે આપણા નેતાઓ દુશ્મનોને પડકારો ફેંકવાને બદલે પાણી મા બેસી રહે છે. અંતે એક વાત જરૂર કહીશ હિન્દુસ્તાન હોઈ કે પાકિસ્તાન વિર હમિરસિંહ સોઢા જેવા રાજપૂત જ્યા પણ જશે ત્યા રાજપૂત બનીને જ રહે છે. ” રાણા હમિરસિંહ રાજપૂત ને દરેક ભારતીયો દ્વારા શત્ શત્ પ્રણામ, તમે દિર્ધાયુ રહો એ જ પ્રભુને પ્રાર્થના.. ”

16 مارس 2019

સાચો સિકંદર

ફક્ત જીતનાર જ નહીં*
      *પણ ક્યાં હારી જવું*

     *એ સમજનાર પણ*
     *સિકંદર જ હોય છે.....*

આશ્ચર્યજનક સંશોધન #heathtips

જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન ...

1. એસિડિટી માત્ર 'ખોરાક'ની
    ભૂલોને લીધે નહીં, પરંતુ 'તાણ'
    થકી વધુ પ્રભુત્વ ધરાવે છે.

2. હાયપરટેન્શન માત્ર 'મીઠું
   ખાદ્યપદાર્થોના વપરાશ'થી જ
   નહીં, પરંતુ મુખ્યત્વે 'મેનેજિંગ
   લાગણીઓ'માં ભૂલોને લીધે.

3.કોલેસ્ટેરોલ માટે ફેટીવાળા
   ખોરાક નહીં , પરંતુ 'વધુ
    આળસ' '  અથવા 'બેઠાડુ
    જીવનશૈલી'વધુ જવાબદાર છે.

4. અસ્થમા  ફેફસાંમાં
    ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને
    કારણે જ નહીં, પરંતુ ઘણીવાર   
    'દુઃખની લાગણીઓ' ફેફસાંને
    અસ્થિર બનાવે છે.

5. ડાયાબિટીસ  માત્ર ગ્લુકોઝના
    વધુ વપરાશના કારણે નહીં,
    પરંતુ સ્વાર્થી અને 'હઠીલા
     વલણ' સ્વાદુપિંડના કાર્યમાં
     વિક્ષેપ પાડે છે.

6. કિડની પથ્થરો માટે ફક્ત
    કેલ્શિયમ  ઓક્સલેટ
    ડિપોઝિટ જ નહીં,
     પરંતુ પેન્ટ અપ 'લાગણીઓ
     અને ધિક્કાર' જવાબદાર છે.

7.  સ્પૉંડિલાઈટિસ ફક્ત એલ 4
       એલ 5 અથવા સર્વિકલ
      ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ
       પડતા ભારથી અથવા 'ખૂબ
       જ ચિંતાઓ'ભવિષ્ય વિશે.

🎄જો આપ સ્વસ્થ જીવન
       જીવવા માંગતા હો તો...
- ગુસ્સો ના કરો.
- એકબીજાને માફ કરો.
- બીજા પાસે બહુ અપેક્ષાઓ ના  
   રાખો.
- તમારી પણ એટલી જ ભૂલો
   થાય છે કે જેટલી બીજાની.
   એટલે કડક અભિગમ ના રાખો.
- અંતે તો રાખ થઈને માટીમાં જ 
   મળવાનું છે એટલે અહમ ના
    રાખો.
- કમ ખાવ ગમ ખાવ.
- પૂરતી ઊંઘ લો.
- નિયમિત જીવન જીવો.
- ખોટી ચર્ચા દલીલોથી બચો.
- દરેક સાથે પ્રેમથી વર્તો અને
  દરેકને માન આપો.
- તમારાથી નાની ઉંમરનાંઓને
  મદદરૂપ થાવ અને તમારાથી
   મોટાંઓને સન્માન આપો,
    કારણ પહેલો તબક્કો તમારો
    ભૂતકાળ છે અને બીજો
    ભવિષ્યકાળ.
-  મનને ઠીક કરો.
-  સદાય પ્રસન્ન રહો.
-  નિયમિત કસરતો કરો,
   ધ્યાન કરો. જે તમારા આત્મા
    અને મનને મજબૂત કરશે.
- સ્વસ્થ રહો અને તમારા
   જીવનનો આનંદ માણો.

Line of the day

जीवन बहुत छोटा है, उसे जियो.*
*प्रेम दुर्लभ है, उसे पकड़ कर रखो.*
*क्रोध बहुत खराब है, उसे दबा कर रखो.*
*भय बहुत भयानक है, उसका सामना करो.*
*स्मृतियां बहुत सुखद हैं, उन्हें संजो कर रखो.*
*अगर आपके पास मन की*
          *शांति है तो.....*
    *समझ लेना आपसे अधिक* 
          *भाग्यशाली कोई नहीं है.!!*

15 مارس 2019

રીત-રિવાજો

દીકરીબાને વેલે બેસાડતા પહેલા કર કરવાનો રીવાજ અને કરનો ખચૅ વેલવાળા પાસેથી શા માટે લેવામાં આવે છે??
         દીકરીબાને વળાવતા પહેલા માતાજીના (કુળદેવી) કર કરવાના હોય છે અને આ કર કરવાનો ખચૅ વેલવાળા પાસેથી લેવામાં આવે છે. તો આ પરંપરા અંગે અનેક વયોવૃદ્ધ વડીલો પાસેથી જાણકારી મેળવવાની કોશીશ કરી પણ સંપૂણૅ સચોટ માહીતિ કોઈ પાસે નહોતી. છેવટે જુની પેઢીના વડીલો પાસેથી કટકે કટકે જે જાણવા મળ્યુ તેનુ તારણ કાઢી સત્યની નજીક પહોંચવા પ્રયત્ન કયૉ છે.
             કર એટલે હાથ,(🙏) બીજો અર્થ કર એટલે દાણ,જકાત,ટેક્સ. અમુક માતાજીને લાપસી જુવારવામાં આવે છે, તો અમુકને રાંધેલા ચોખા તો અમુકને માત્ર સાકર,શ્રીફળ અને મિઠાઈ તો અમુકને જુદા જુદા ફળનો પ્રસાદ ધરવામાં આવે છે. કર એટલે સંકલ્પની સિધ્ધી મળી હોય, આંગણે શુભ અવસર હોય ત્યારે માતાજી ને બે હાથ જોડી આ કૃપા બદલ પાડ માનવો કે પ્રણામ કરી પગે લાગવું. દરેક દીકરીઓ પોત પોતાની કુળદેવીમાં અતિ શ્રધ્ધા અને આસ્થા  ધરાવતા હોય છે પણ લગ્ન પછી કૂળદેવી બદલી જતા હોય તેનો રંજ મનમાં રહી ન જાય તેથી કુળદેવીના છેલ્લી વાર દર્શન કરી કર કરવામાં આવે છે.દીકરીબા સાસરે સિધાવે એટલે તેની અટક બદલી જાય છે, કૂળગોત્ર બદલી જાય છે અને કુળદેવી પણ બદલી જાય છે. સાસરીયા પક્ષની જે કુળદેવી હોય તે દીકરીબાએ લગ્ન પછી સ્વીકાર કરવાનો હોય છે. પોતાની કુળદેવીએ દશૅન માટે અને કર કરવા માટે દીકરીબા આ છેલ્લી વખત જાય છે. અને મનોમન પ્રાથૅના દ્વારા એવી વિનંતિ કરવામાં આવે છે કે: '"હે કુળદેવી માતાજી,...અમારા કૂળના રીતરીવાજ અને પરંપરા મુજબ બંને પક્ષની સવૅસંમતિથી મારા લગ્ન (જાડેજા,ઝાલા, ગોહિલ,પરમાર, રાયજાદા વગેરે) કુળમાં ગોઠવાયા છે. તો આ છેલ્લી વખત આપના દશૅને આવી કર કરૂં છું, તારી કૃપા થકી મને ખાનદાન કુટુંબના સાસરીયા મળ્યા છે. તો હવેથી હું સાસરીયા પક્ષના કુળદેવીનો સ્વીકાર કરીશ. તો મને માફ કરજે.'" આ શબ્દો દ્વારા મનમાં જ પ્રાર્થના કરવાની એટલા માટે છે કે કર કરો કે નહી પણ સાસરીયે જવું તો ફરજીયાત બની રહેતું હોય કર દ્વારા માતાજીને યાદ કરીને મનોમન પ્રાર્થના થકી એવું સૂચવવામાં આવે છે કે અમો તને કદી ભૂલ્ચા નથી.
          કર કરવાનો ખર્ચ વેલવાળા પાસેથી એટલા માટે લેવામાં આવે છે કે દીકરીબા એક કુળગોત્ર છોડી બીજા જ કુળગોત્રમાં જાય છે. તેની અટક અને કુળદેવી પણ બદલી જાય છે. આપણા પૂવૅજોએ આ રીવાજ પાછળ કેવી સરસ ગોઠવણી કરી છે કે કુળગોત્ર, અટક અને કુળદેવી બદલવાનું દીકરીબાના માવતર તો ઈચ્છતા ન હોય, તેના હૈયેથી તો દીકરીબા અળગા થતા જ ન હોય, તેથી એ શા માટે કરનો ખચૅ કરે? પરંતુ પરંપરા અને રીવાજને અનુસરી દીકરીબાના લગ્ન અને સસુરાલ જવુ તો ફરજીયાત જ છે. દીકરીબાના સાસરીયા પક્ષ દ્વારા કરનો ખચૅ એટલા માટે કરવામાં આવે છે કે સાસરીયે પગ મૂક્યા પછી હસ્તમેળાપ અને ચાર ફેરા ફયૉ પછી કુળગોત્ર, અટક અને કુળદેવી બદલાતા હોય કરનો ખચૅ વેલવાળા એટલે કે સાસરીયા પક્ષ પાસેથી એટલા માટે જ લેવામાં આવે છે. અમુક પંથકમાં માતાજી અને સુરાપુરા બંનેના કર કરે છે.

14 مارس 2019

विचार जरूर करे और सभी माता पिता तक जरुर पहुचाये

*एक शिक्षाप्रद कहानी*   

      टीचर ने सीटी बजाई और स्कूल के मैदान पर 50 छोटे छोटे बालक-बालिकाएँ दौड़ पड़े।
सबका एक लक्ष्य। मैदान के छोर पर पहुँचकर पुनः वापस लौट आना।

प्रथम तीन को पुरस्कार। इन तीन में से कम से कम एक स्थान प्राप्त करने की सारी भागदौड़।

सभी बच्चों के मम्मी-पापा भी उपस्थित थे तो, उत्साह जरा ज्यादा ही था।

मैदान के छोर पर पहुँचकर बच्चे जब वापसी के लिए दौड़े तो पालकों में " और तेज...और तेज... " का तेज स्वर उठा। प्रथम तीन बच्चों ने आनंद से अपने अपने माता पिता की ओर हाथ लहराए।

चौथे और पाँचवे अधिक परेशान थे, कुछ के तो माता पिता भी नाराज दिख रहे थे।

उनके भी बाद वाले बच्चे, ईनाम तो मिलना नहीं सोचकर, दौड़ना छोड़कर चलने भी लग गए थे।

शीघ्र ही दौड़ खत्म हुई और 5 नंबर पर आई वो छोटी सी बच्ची नाराज चेहरा लिए अपने पापा की ओर दौड़ गयी।
पापा ने आगे बढ़कर अपनी बेटी को गोद में उठा लिया और बोले : " वेल डन बच्चा, वेल डन....चलो चलकर कहीं, आइसक्रीम खाते हैं। कौनसी आइसक्रीम खाएगी हमारी बिटिया रानी ? "

" लेकिन पापा, मेरा नंबर कहाँ आया ? " बच्ची ने आश्चर्य से पूछा।

" आया है बेटा, पहला नंबर आया है तुम्हारा। "

" ऐंसे कैसे पापा, मेरा तो 5 वाँ नंबर आया ना ? " बच्ची बोली।

" अरे बेटा, तुम्हारे पीछे कितने बच्चे थे ? "

थोड़ा जोड़ घटाकर वो बोली : " 45 बच्चे। "

" इसका मतलब उन 45 बच्चों से आगे तुम पहली थीं, इसीलिए तुम्हें आइसक्रीम का ईनाम। "

" और मेरे आगे आए 4 बच्चे ? " परेशान सी बच्ची बोली।

" इस बार उनसे हमारा कॉम्पिटीशन नहीं था। "

" क्यों ? "

" क्योंकि उन्होंने अधिक तैयारी की हुई थी। अब हम भी फिर से बढ़िया प्रेक्टिस करेंगे। अगली बार तुम 48 में फर्स्ट आओगी और फिर उसके बाद 50 में प्रथम रहोगी। "

" ऐंसा हो सकता है पापा ? "

" हाँ बेटा, ऐंसा ही होता है। "

" तब तो अगली बार ही खूब तेज दौड़कर पहली आ जाउँगी। " बच्ची बड़े उत्साह से बोली।

" इतनी जल्दी क्यों बेटा ? पैरों को मजबूत होने दो, और हमें खुद से आगे निकलना है, दूसरों से नहीं। "
पापा का कहा बेटी को बहुत अच्छे से तो समझा नहीं लेकिन फिर भी वो बड़े विश्वास से बोली : " जैसा आप कहें, पापा। "

" अरे अब आइसक्रीम तो बताओ ? " पापा मुस्कुराते हुए बोले।

तब एक नए आनंद से भरी, 45 बच्चों में प्रथम के आत्मविश्वास से जगमग, पापा की गोद में शान से हँसती बेटी बोली : " मुझे बटरस्कॉच आइसक्रीम चाहिए। "

*क्या इस बार अपने बच्चो के रिजल्ट के समय हम सभी माता पिता का व्यवहार कुछ ऐसा होना चाहिए ....विचार जरूर करे और सभी माता पिता तक जरुर पहुचाये

*अपने जान-पहचान के माता-पिता से बतलावें।*   👏

અજબ દુનિયાનું ગજબ પરિવર્તન તો જુઓ

૧. પહેલા લગ્ન માં ઘર ની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વાળીઓ બહાર થી આવતી હતી.હવે જમવાનું બનાવવા વાળા બહાર થી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે*.

*૨. પહેલા ના લોકો ઘરનાં દરવાજે એક માણસ 💂‍♂ને ઊભા રાખતા હતા જેથી કોઈ કુતરો ઘરમાં ઘૂસી ના જાય. આજકાલ લોકો ઘરના દરવાજા પર કુતરો 🐶ઉભો રાખે છે કે જેથી માણસ અંદર ઘુસી ના જાય*.

*૩.. પહેલાં લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે (લૈટ્રીન) ઘરની બહાર જતા હતા.અત્યારે ખાવાનું બહાર ખાય છે અને કુદરતી હાજતે (લેટ્રીન) ઘરમાં જાય છે*.

*૪.. પહેલાં માણસ સાયકલ🚲 ચલાવે તો ગરીબ સમજવા માં આવતો હતો.હવે ગાડી લઈને🚗જીમમાં જાય છે અને* *સાયકલ ચલાવવા માટે જાય છે*.

           *ચારેય તરફ મહત્વપુર્ણ બદલાવ છે*

  *વાહ રે મનુષ્ય તારો સ્વભાવ*.....
*મડ્દા ને હાથ લગાવે તો સ્નાન કરે છે.. અને મુંગા પશુઓને મારીને ખાય છે*...
⛺⛺⛺⛺⛺⛺⛺
*આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે*   *મિત્રો*.
⛺⛺⛺⛺⛺⛺⛺
*જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે*.
🌸🌸🌸🌸🌸🌸🌸
*વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય*...
🌸🌸🌸🌸🌸🌸🌸
*વરઘોડામાં વરરાજા👑 સૌથી પાછળ*

      *અને લોકો આગળ ચાલે🚶‍♂ છે*.
*સ્મશાન માં ઠાઠડી ⚰આગળ*
*અને લોકો પાછળ ચાલે છે*.

*એટલે કે લોકો ખુશીમાં😁 આગળ*
*અને દુઃખ😪 માં પાછળ હોય છે*.
🍁🍁🍁🍁🍁🍁🍁
*અજબ તારી દુનિયા*
*ગજબ તારો ખૈલ*.
*મીણબત્તી સળગાવીને મરેલાં*⚰ *ને યાદ કરવામાં આવે છે*.
*અને મીણબત્તી હોલાવિને જન્મદિવસ 🎂ઉજવવામાં આવે છે*.
🍁🍁🍁🍁🍁🍁🍁
  *વાહ રે દુનિયા*👏👏
*લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે* 🎤🎤
☘☘☘☘☘☘☘
💎 *પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે*
*બિંદી ૧ રૂપિયા માં આવે છે પરંતુ માથા પર લગાવવામાં આવે છે*.
☘☘☘☘☘☘☘
*એટલાજ માટે કીંમત નૂ  મહત્વ નથી  તેનું કાર્ય મહત્વ નું છે*.
➖➖➖➖➖➖➖
*એક પુસ્તકાલય 📚માં ગીતા અને કુરાન એક બીજા થી નથી ઝગડતા*
        *અને*
*જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી*.📓📔
➖➖➖➖➖➖➖
*લિમડાની જેમ કડવું સીખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે*,
*મિઠી વાત કરનારા મતલબની હોય છે*.
🌱🌱🌱🌱🌱🌱🌱
*સાચાં રસ્તા પર કોઈ માણસ નથી જતું.ખોટા રસ્તા પર બધા ચાલે છે*,🚶‍♂🚶‍♀
🌱🌱🌱🌱🌱🌱🌱
🥛 *દુધ વેચવા વારાને*
*ઘર ઘર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને*.
💎💎💎💎💎💎💎
*🥃🥃🥃🍾🍾પરંતુ* *દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે*
💎💎💎💎💎💎💎
👌 *ખુબ સુંદર પંક્તિ* 👌
*મનુષ્ય માં સમજણ બસ એટલી જ છે કે તેને* "" *જાનવર*""👹 *કહો તો* *ગુસ્સે થાય છે*.
*અને"" સિંહ"" 🦁કહો તો* *ખૂશ થઈ જાય છે*
. 🐅🐅🐅🐅🐅🐅🐅
*જ્યારે ""સિંહ"" 🦁પણ એક *જાનવરનું જ નામ છે*.
🐅🐅🐅🐅🐅🐅🐅
*સારું લાગે તો શેર કરો*👍👍👍
🌺🌺🌺🌺🌺🌺🌺

10 مارس 2019

આજની યુવાપેઢી વિશેની ચિંતા

શાંતિથી...બે વાર વાંચજો...વિચારજો...ને અમલ કરી જોજો..*

આજની પેઢી પાસે શું નથી ?

એમની બુદ્ધિ...
ભલભલાને પાણી પીવડાવે એવી !

એમને મળતી સગવડો...
કેટલી બધી !

જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ...
ઢગલાબંધ !

ફેમિલીનો સહકાર...
સતત !

અરે !
એમ કહું તો ચાલે કે -
માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે...
અને,
પછી જ પોતાનો કોઈ પ્રોગ્રામ બનાવે !!

સુખ સગવડના સાધનો ?
એના વગર તો જીવાય જ કેમ !

ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,
સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે...
પણ,
દીકરા, દિકરીને મોબાઇલ, બાઈક કે સ્કૂટી તો નવું જ અપાવે !!

ટ્યુશન...સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !

અને,
છતાં આજની પેઢી...
આજનો યુવાન કે યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?
આ પેઢી ઉદાસ કેમ છે ??

૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે -
માતા-પિતાને ખબર પણ ના હોય કે... પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !

અરે,
આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો !

કારણકે -
આપણે જ કોઈ ભૂલ કરી હશે...
અને ફરિયાદ કરવી હશે...
- એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !

અને,
“ભણે છે તો શું થયું ?
બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના..”

અથવા,

દીકરી હોય તો
ઘરનાં કામ તો કરવાના જ !
-આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે...

અરે ભલું હોય તો -
પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું.

લેસન કરવાની જવાબદારી તો આપણી જ !

એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો...

અને ટ્યુશન ?

એ શું વળી ?

“સ્કુલમાં ઢોર ચારે છે...
તો તારે ટ્યુશન રખાવવું પડે ?”
-આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે !

અને,
ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો...

એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે...
તો -
બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું  !!

છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !

કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું...

અને છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી...
અને,
શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી ! 

સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પોળમાં રમવા જતા રહેવાનું...
અને,
માટીમાં રમીને ધૂળવાળા થઈને પાછા આવવાનું...
છતા,
કેટલો સંતોષ !

ક્યારેય આપણને એ માટીમાં રમવાથી ઇન્ફેકશન નહોતું થતું !

થોડો તાવ આવતો તો -
ઘરગથ્થુ ઉકાળાથી જ મટી જતો !

વળી,
ઘરમાં પિતાને પણ ખબર ના પડતી...

અત્યારની જેમ કોઈ ખોટા લાડ નહિ...
અને,
છતાં બધાં જ બાળક ખુશ રહેતાં !

કોઈના જીવનમાં - કોઈ ટેન્શન નહીં...

અને હા,
ખાલી એ દિવસ થોડો ટેન્શન વાળો જાય...
જ્યારે રિઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય !

અને,
રીઝલ્ટ ખરાબ હોય...
તો પણ,
પપ્પા લડે કે એકાદ લાફો મારી દે...

તો -
૧૦ મીનીટમાં ભૂલી જવાનું !

*એ મારા પપ્પા કે મમ્મી છે...*
*મારે પણ ખરાં !*

અને અત્યારે ?

માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહીં...

બાળકનું ધાર્યું ના થાય તો -
એ ડીપ્રેશનમાં જતું રહે !

શિક્ષક એને લઢી ના શકે...
તો મારવાની વાત જ ક્યાંથી ?

દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે...

પોતાની જીદ પૂરી ના થાય તો -
ડીપ્રેશન આવી જાય !

અને એટલી હદે કે -
બાળક આત્મઘાતી પગલું ભરતાં પણ વિચાર નથી કરતું !!

અત્યારનાં દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે...?

આપણે એને પૂછીએ કે  -
”બેટા, ક્યાં જાય છે ?”

તો જવાબ આ જ હોય કે -
“ બહાર જઉં છું. “

કોઈ વાતનો સીધો જવાબ નહિ...
અને,
છતાં માબાપથી કશું કહેવાય નહી !

બસ,
સમસમીને બેસી રહેવાનું...

ક્યાં લઇ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને ?

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઊંડા કૂવામાં ધકેલી રહ્યું છે...
- એનું ભાન છે ?

પાણી માગે તો -
દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા કેમ નથી કે -
એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે !

થોડું પણ 'સ્ટ્રેસ' ના આપવું...
એ આપણો 'પ્રેમ' હોઈ શકે...

પણ,
એનાથી એ બાળક ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસને હેન્ડલ નહિ કરી શકે  !

કાં તો ડીપ્રેશનનો ભોગ બનશે...
અથવા તો -
આત્મઘાતી પગલું ભરશે...
- એ કેમ નથી વિચારતા, ?

‘ના’ સાંભળવાની આદત નહિ હોવાને કારણે  -
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એને ‘ના’ કહેશે...તો?

એને પોતાનો 'અહમ' ઘવાશે...

અને,
ના કરવાનું કરી બેસશે એનું શું ?

વસ્તુઓ માગ્યા પહેલાં જ મળી જતી હોય...

એને પછી -
ભવિષ્યમાં ધીરજ રહેશે ખરી ?

તમારું બાળક તમને પ્યારુ છે, ઈમ્પોર્ટન્ટ છે...

એટલું જ મહત્વનું સમાજમાં પગ મુકશે ત્યારે બધા ગણશે એને ?

એ સ્વાર્થી બનીને કોઈને ગણે જ નહિ તે છતાં આપણા તરફથી જે વાત્સલ્ય એને મળે છે,
એવું જ વ્હાલ એને સમાજમાંથી નહિ મળે !
(કારણકે સામેની વ્યક્તિ પણ આવી રીતે ઉછરેલી વ્યક્તિ હશે ને !)

ત્યારે શું થશે એનો વિચાર કર્યો કોઈ દિવસ ?

ચાલો,

આજે.... થોડું આપણે સુધારવાનો નિર્ણય લઈએ.

આપણે આપણા બાળકને 'સામાન્ય' દેખાતા...પરંતુ,
ભવિષ્યમાં થનારા મોટાં જોખમો સામે રક્ષણ આપનારા ગુણો શીખવાડીશું.

એના માટે માતા-પિતાએ થોડું કઠોર બનવું પડશે !

*જો હીરાને ઘસવાવાળી પોલિશ કરવાવાળી એમ્રી થોડી કઠોર અને કર્કશ નહિ હોય...*

*તો -*
*હીરાની કિંમત નજીવી બની જશે !*
*કેમકે એ પોલીશ જ નહિ કરાયેલો હોય એટલે !*

દિલમાં દુ:ખ તો થાય...

છતાં પણ બાળકને ધીરજ,
‘ના’ સાંભળવાની ટેવ,
મોટાઓનો આદર કરવાની ટેવ
અને,
પ્રોબ્લેમ સોલ્વ કવાની કેપેસીટી...
આ બધું જ શીખવાડવું પડશે.

દુનિયા ક્યારેય એટલી નવરી નથી કે -
તમારા બાળકની સતત ઢાલ બનીને રહે !

જો આ ગુણો એનામાં આવશે...
તો -
ફક્ત હેપ્પી ન્યુ ઈયર નહિ...
પણ,
આપણી અને એમની લાઈફ પણ 'હેપ્પી' બની જશે !!

સોરી,
*થોડી ભાષા કઠોર વાપરી છે...*
પણ,
*એ મારી આજની યુવાપેઢી વિશેની ચિંતા છે...*

*તો એને 'ક્ષમ્ય' ગણશો !!*🙏